Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શહિદ અને ઘાયલ જવાનોને પૂ. મોરારીબાપુ દ્વારા ૪૫ લાખથી વધુ રકમની સહાય

ભાવનગર, તા. ૧૮ :. તા. ૧૪ ફેબ્રુઆરીને દિવસે કાશ્મીરના પુલવામા વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળના જવાનોના કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો અને તેમા ૪૪ જવાનો શહિદ થયા હતા. પ્રત્યેક શહિદના પરિવારજનોને મોરારીબાપુની સંવેદનાથી શ્રી ચિત્રકુટધામ-તલગાજરડા દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વનારૂપે રૂપિયા એક-એક લાખ મોકલવામાં આવી રહ્યા છે.

જે રકમ ચુમાંલીસ લાખની છે. આવી કોઈ પણ આપદાની સ્થિતિમાં મોરારીબાપુે રાષ્ટ્રધર્મ અને નાગરિક ધર્મ નિભાવવામાં હંમેશા પહેલ કરી છે. જ્યારે પૂ. બાપુએ આ હુમલામાં માર્યા ગયેલા જવાનોના પરિવારજનોને મદદ પહોંચાડવા માટે વિનંતી કરી ત્યારે ત્યાં ઉપસ્થિત રામકથાના શ્રોતાઓએ પણ આ કાર્યમાં સહયોગ કર્યો હતો. એ ઉપરાંત પણ અનેક શ્રોતાઓએ સહયોગ કર્યો હતો. તેમાં જે વધારાની રાશી એકત્ર થઈ છે તે રકમમાંથી પ્રત્યેક ઘાયલ જવાનને રૂપિયા ૨૫ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. આ અંગે સી.આર.પી.એફ. હેડ કવાર્ટર્સ-દિલ્હીના માર્ગદર્શન મુજબ ઘાયલ જવાનોની વિગતો મેળવી રાશી પહોંચાડવામાં આવશે.

(3:39 pm IST)