Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સોમનાથ મહાદેવ મંદિરે કાશ્મીરમાં શહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપવા વિશેષ આરતી યોજાઇ

પ્રભાસ-પાટણ તા ૧૮ :  કાશ્મીરમાં પુલવામાં ભારત માતાની રક્ષા કરતા શહિદ થયેલા વીર જવાનોને શ્રધ્ધાંજલી અર્પવા   સોમનાથ મહાદેવ મંદિર ઇતિહાસમાં પ્રથમ વખત જ સોમનાથ મહાદેવને વિશેષ આરતી યોજાઇ અને દરેક દર્શનાર્થીઓને દીવડાઓ આ આરતીમાં આપી સમુહ આરતીમાં  દર્શનાર્થીઓ  જોડાઇ અમર જવાનોને શ્રધ્ધાંજલી અર્પી.

આરતી પૂર્ણ થયે '' ભારત માતાકી જય '' ના ગગનભેદી ઘોષનાદો સાથે મંદિર ગુંજી ઉઠયું. આ આરતી શોર્ય -શ્રધ્ધાંજલી અપાઇ, ઉપરાંત તે આરતી સમયે અને સંધ્યા શણગારમાં મહાદેવને રાષ્ટ્ર ધ્વજ ત્રિરગાનો શણગાર કરાયો અને મંદિર પટાંગણમાં ભગવદગીતાનો બીજા અધ્યાયનો પાઠ, શહિદ પ્રતિકને પુષ્પાંજલી તેમજ શહીદોને શોકાંજલી અર્પવા બે મીનીટનું મોૈન રાખવામાં આવ્યું (૩.૩)

 

(12:39 pm IST)