Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ચોટીલાથી ઇજાગ્રસ્ત મળેલા વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધખોળ

મૃતકે સારવારમાં હતાં ત્યારે રત્નગીરી ધનાગીરી નામ જણાવ્યું હતું

રાજકોટ તા. ૧૮: ચોટીલામાંથી એક આશરે ૬૦ વર્ષના વૃધ્ધ ઇજાગ્રસ્ત મળતાં ત્યાંની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ આજે વહેલી સવારે આ વૃધ્ધનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ ચોટીલા જાણ કરી હતી. આ વૃધ્ધે ચોટીલા સારવારમાં હતા ત્યારે પોતાનું નામ રત્નગીર ધનાગીરી જણાવ્યું હોઇ તેના આધારે તપાસ થઇ રહી છે. (૧૪.૮)

(12:37 pm IST)