Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

જેતપુરના દિપકભાઇ સાંગાણીનો દેણુ વધી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત

મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૮: જેતપુર જનતાનગરમાં રહેતાં દિપકભાઇ અમરતલાલ સાંગાણી (ઉ.વ.૪૬)એ ગઇકાલે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.ઙ્ગદેણું વધી જતાં આ પગલું ભર્યાની તેના પરિવારજનોએ જણાવ્યું હતું.

દિપકભાઇએ ગઇકાલે પગલુ ભરી લેતાં જેતપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં દમ તોડી દીધો હતો. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો. આપઘાત કરનાર દિપકભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી છે. તેણે ચિઠ્ઠી લખી છે કે- મારી માથે દેણું છે એટલે આ પગલુ ભરુ છું, મારો ભાગ મારા પત્નિને આપી દેજો. જેતપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

 

(12:36 pm IST)