Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગોંડલ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા એક દિ'નો પગાર શહીદોને અપાયો

પ્રાંત અધિકારી રાયજાદા તથા મામલતદાર ચુડાસમાની હાજરીમાં શહીદોને શ્રધ્ધાંજલી અપાઇ

ગોંડલ તા. ૧૮ : ગોંડલ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પુલવા આતંકી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પીત કરાઇ હતી અને તાલુકાના તમામ તલાટી મંત્રીઓએ એક દિ'નો પગાર શહીદોના પરિવારને અર્પણ કર્યો હતો.

તાજેતરમાં પુલવામાં કરવામાં આવેલા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ વીર જવાનો ને ગોંડલ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા શ્રદ્ઘાંજલિ આપવામાં આવેલ અને તમામ તલાટી કમ મંત્રી શ્રી ઓ એ એક દિવસનો પગાર શહીદ પરિવારોને આપવાનું નક્કી કરેલ છે.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી રાયજદા, મામલતદાર શ્રી ચુડાસમા, તા.વી.અ.શ્રી બગથરીયા, જિલ્લા મંડળના ઉપપ્રમુખ અજયસિંહ જાડેજા તથા તલાટી આગેવાન શરદભાઈ દવે તમામ તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા.(૨૧.૧૩)

(12:36 pm IST)