Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

માણાવદર બંધ પાળીને શહિદોને શ્રધ્ધાંજલી અર્પણઃ પાકિસ્તાન મુર્દાબાદના નારા

માણાવદરઃ  અનેક સ્વેચ્છિક સંસ્થાઓ અને નગરજનો દ્વારા સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી કેન્ડલ માર્ચ પણ યોજી હતી અને  ગાંધી ચોક ખાતે પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં જે ૪૨ વીર જવાનો શહીદો થયા છે રામધૂન બોલીને સાચી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને અને આંતકવાદીઓનો ખાત્મો બોલાવે તેવી પણ માંગ ઉઠી હતી. રાજકીય આગેવાનો, વેપારીઓ ભાઇઓ અને બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહીને શ્રધ્ધાંજલિ અર્પણ  કરીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા શહેરના રેકડીવાળાથી મોટા દુકાનોવાળા બંધ રાખી જોરદાર વિરોધ હુમલાનો કર્યો છે. ત્થા સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી શહેરના સર્વજ્ઞાતિ ધર્મના નાગરિકો આ શ્રધ્ધાંજલી અર્પવા કેન્ડલ માર્ચ સિનેમાથી ગાંધી ચોક સુધી યોજાય ત્થા ગાંધી ચોકમાં ધુન-ત્થા મૌન પાળી શહિદ જવાનોને સાચી શ્રધ્ધાંજલી આપી હતી. (તસ્વીર-અહેવાલઃ પ્રશાંત રૂપારેલીયા-ગિરીશ)(૭.૯)

 

(12:22 pm IST)