Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભાવનગર ભાજપ યુવા મોરચાના નેતૃત્વમાં દિપાંજલી અર્પણ

ભાવનગર : જમ્મુ કાશ્મીરમાં પુલવામાં ખાતે દેશના સીઆરપીએફના વિરગતી પ્રાપ્ત કરેલા ૪૨ સપુતોને શ્રધ્ધાંજલી સાથે દિપાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના નેતૃત્વમાં યોજાયો હતો. જેમાં શહેર અધ્યક્ષ સનતભાઇ મોદી, મેયર મનભા મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઇ રાવલ, લોકસભા ઇન્ચાર્જ હર્ષદભાઇ દવે, સહ ઇન્ચાર્જ હરૂભાઇ ગોંડલીયા, અમોહભાઇ શાહ સહિતના પદાધિકારીઓ શહેર સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ પ્રમુખ મહામંત્રી, કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નગરજનો વિશાળ સંખ્યામાં જોડાઇ દેશના સપુતો અને શહિદોને શ્રધ્ધાંજલી પાઠવી તેમના આત્માની શાંતિ માટે દિપપ્રગટાવી સૈનિકો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી અને ઘાયલ સૈનિકો જલ્દીથી સ્વસ્થતા મેળવી ઝડપથી સાજા થાય તેમના માટે પ્રાર્થના કરી હતી.(તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)(૪૫.૬)

 

(12:20 pm IST)