Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જામનગર રોઝી બેટ ઉપર પ્રવેશની મંજુરી માત્ર દર્શન અને સલામ કરવા મળશેઃ જામ સાહેબશ્રી શત્રુશલ્‍યસિંહજી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૮: જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્‍યસિંહજી મહારાજે જણાવ્‍યું છે કે, રોઝી બેટ ઉપર પ્રવેશ કરવાની મંજુરી માત્ર રોઝી માતાજી મંદિરે દર્શન કરવા, સુરાપુરા ખાંભીઓને પગે લાવવા તથા માયસાબાની અને જાહેર પીર દરગાહોએ સલામ કરવા માટે મળશે. બીજા કોઇ કારણસર મળશે નહી. પરવાનગી ઓછામાં ઓછી બે દિવસ અગાઉ લેવાની રહેશે.

આ માટે પેલેસ રોડ પર આવેલી સસેકસ લોજમાં શ્રી હઝુર કાર્યાલયમાં અરજી કરવાની રહેશે. જેની પરવાનગી બીજા દિવસે લેખીતવાર મળશે તેમ જામસાહેબ શ્રી શત્રુશલ્‍યજી મહારાજે જણાવ્‍યું છે. ઓળખપત્ર  ધરાવતા ફરજ નિયુકત સરકારી કર્મચારીઓ અને હાલાર સોલ્‍ટ વર્કસના લાગતા-વળગતાં અને રાજવી પરીવારના તમામ સદસ્‍યોને પરવાનગી જરૂરી નથી તેમ જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્‍યસિંહજી મહારાજે જણાવ્‍યું છે.

(12:14 pm IST)