Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જસદણમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા સામાજિક સદભાવના બેઠક યોજાઇ

જસદણ તા.૧૮ : રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંદ્ય જસદણ દ્વારા સામાજિક સમરસતા બાબતે જસદણ નગર સ્‍તરે સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. ડી.એસ.વી.કે હાઇસ્‍કુલ ખાતે જસદણ શહેર ની સામાજિક સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરના તમામ સમાજના આગેવાનો સામાજિક અગ્રણીઓ, ઉદ્યોપતિઓ, નગરપાલિકાના સભ્‍યો, વિવિધ શૈક્ષણિક સંસ્‍થાના હોદ્દેદારો અને વિવિધ એસોસિએશનનોᅠ હોદ્દેદારો સહિત બહોળી સંખ્‍યામાં સોશિયલ ડિસ્‍ટન્‍સ નું પાલન કરી ઉપસ્‍થિત રહ્યા હતા આ બેઠકમાં રાજકોટ વિભાગના સેવા પ્રમુખ શ્રી અમિષભાઈ હિરપરા દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવેલ હતું બેઠકમાં રામ જન્‍મભૂમિ મંદિર નિર્માણ નીધી સમર્પણ અભિયાન બાબતે સામાજિક સમરસતાથી અલગ અલગ સમાજો વચ્‍ચે સદ્દભાવ અને એકતા નું નિર્માણ થાય તે વિષય પર ભારતવર્ષના તમામ સમાજનું એકીકરણ કરી શકાય તે બાબતે આ બેઠકમાં ઉપસ્‍થિત આગેવાનો એ ચર્ચા કરી હતી. રામજન્‍મભૂમિ નિધિ સમર્પણ અભિયાનને જનઅભિયાન બનાવવા માટે સંદ્યના માર્ગદર્શન મુજબની યોજના સમગ્ર શહેર અને તાલુકામાં પોતાના વિસ્‍તારમાં અમલમાં મૂકવા માટે સંકલ્‍પ કરેલ તથા રામજન્‍મભૂમિ નિધિ સમર્પણ અભિયાન તારીખ ૧૫ જાન્‍યુઆરીથી શરૂ થતાં પહેલાંની પૂર્વતૈયારી કઈ રીતે કરી શકાય તે બાબતે આયોજન કરેલ જસદણ શહેર અને તાલુકામાં અલગ-અલગ જ્ઞાતિના લોકો વચ્‍ચે સુમેળ ભર્યું વાતાવરણ હોવાનું આ સફળ સદભાવ બેઠકથી ફલિત થાય છે તેમજ સામાજિક સમરસતા દ્વારા અરસપરસ સદભાવનું વાતાવરણ સ્‍થાપિત થયેલું જોવા મલ્‍યું હતું.

(12:15 pm IST)