Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગીર સોમનાથના કાજલી ગામના ગોવિંદભાઇ ગુજકોમાસોલ વાઇસ ચેરમેનપદે ચુંટાયા

પ્રભાસપાટણ તા.૧૮ : ગીરસોમનાથ જીલ્લાના સોમનાથ વેરાવળ તાલુકાના ગોવિંદભાઇ પરમાર આજે ગુજકોમાસોલ ચુંટણીમાં ત્રીજી વખત બીનહરીફ ચુંટાતા અત્રે હર્ષ છવાયો છે. સોમનાથના કાજલી ગામે તા.૧-૬-૧૯૫૪ના રોજ જન્મેલ તેઓ ૧૯૯૦ થી ભારતીય જનતા પાર્ટીમાં છે અને ૧૯૭૬માં સહકારી સંસ્થામાં જોડાઇ ૧૯૯૬માં સહકારી સંસ્થા ગુજકોમાસોલ ડાયરેકટર અને વર્ષ ૨૦૦ર થી ૨૦૦૪ સુધી વાઇસ ચેરમેન અને ત્યારથી સતત ત્રીજી વખત તેઓ બિનહરીફ ચુંટાયા છે. તાલાલાના ધારાસભ્યપદે બે ટર્મ વિજેતા થયા હતા.

વેરાવળ માર્કેટીંગ યાર્ડના ચેરમેનપદે    બે ટર્મથી બિનહરીફ વરાયા છે. આ ઉપરાંત તેઓ રાજય એપીએમસી ચેરમેન છે તેમજ જૂનાગઢ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ડાયરેકટર પદે પણ છે.

બીકોમ સુધી અભ્યાસ કરેલા તેઓ વ્યવસાયે ખેતી અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સ્વાધ્યાય પરિવાર પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાય પ્રવૃતિના આદિ સમર્પીત સભ્ય છે. કાજલી મા.યાર્ડમાં તેમણે કરેલો વિકાસથી રાજયનુ આદર્શ માર્કેટીંગ યાર્ડ બન્યું છે.

(11:45 am IST)