Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વધુ ૩ કોરોના પોઝીટીવઃ એકનુ બિન કોવિદમાં મૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે ખંભાળિયા ભાણવડ તથા કલ્યાણપુરમાં એક એક મળીને કુલ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નવા નોંધાયા આ તમામને ખંભાળિયા કોવીદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તથા ખંભાળિયાના એક દર્દીને સાથે થતા ડિસ્ચાર્જ કારયો હતો.

દેવભૂમિ જિલ્લામાં બીન કોવીદથી મૃત્યુની સંખ્યા ૬૩ હતી તેમાં એકનો વધારો થતા કુલ બીનકોવીદ મૃત્યુ આંક ૬૪ થઇ છે કોવીદના-૯ મળી ૭૩ મૃત્યુ થયા છે.જયારે ૪૬ એકટીવ કેસ છે.

તાજેતરમાં ધનવંતરી રથ દ્વારા ડો. અજુન ગોઝાયા, ડો. રવિ કેનાટીયા, ભાવિકા મકવાણા, કાજલ ભાટીયા વિ.ની ટીમ દ્વારા ધનવંતરી રજા લઇને વડયા, બજાણા, ભીંડા, મોવાલી, ખંભાળિયાના વિનાયક સોસાયટી, હરસિદ્ધિ નગર, ગાયત્રીનગર, નવાપરા, ભરાણા, વાડળિયા સિહણ, વિનાયક સોસાયટી હર્ષદપુર વ્રજધામ સોસાયટી ધરમપુર શ્રીજી સોસાયટી, પોટ ગેઇટ, ખંભાળિયા, યેાગેશ્વરનગર, બંગળાવાડી, સ્ટેશન રોડ, કણઝાર હોટલ, રામનગર વિસ્તાર, મિલન ચાર રસ્તા વિ. વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ધનવંતરી રથ દ્વારા આરોગ્ય ચેકીંગ દવા તથા ટેસ્ટની સુવિધા આપવામાં આવી હતી.

(12:57 pm IST)