Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મૂખ્ય મંદિરે ધર્નુમાસ નિમિતે કથા મહામંત્ર- ધુન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૭ : જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર તા.૧૬/૧ર થી ૧૪/૧ સુધી) મંદિરમાં બિરાજમાન શ્રી રાધારમણદેવ, હરિકૃષ્ણ મહારાજ તથા પ્રસાદીના સિદ્ધેશ્વર મહાદેવના સાનીધ્યમાં પ.પુ.ધ.ધુ ૧૦૦૯ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જગતના જીવો માટે કમર્હુતા પણ ભગવાનના ભકતો માટે ભજન ભકિત કરવા માટે આયોજન કરાયું છે.

ચેરમેન સ્વામી દેવનંદજીદાસજી મૂખ્ય કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) તેમજ પી.પી.સ્વામી ધર્મકિશોરસ્વામી એવમ ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ ધર્નુમાસ નિમિતે દરરોજ સવારે પ-૩૦ કલાકે ઠાકોરજીની મંગળ આરતી અને પ-૪પ થી૬-૩૦ મહામંત્ર ધુન અને ૬-૩૦ થી ૭-૧પ કથા અને ૭.૧પ શણગાર આરતી આ ધર્નુમાસ દરમ્યાન સૌ હરિભકતોએ કોરોનાની સરકારની ગાઇડલાઇન મુજબ દર્શનનો લાભ લેવા પુ.પ્રેમસ્વરૂપદાસજી અને પી.પી.સ્વામીએ જણાવ્યું છે.

(12:56 pm IST)