Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ગુજરાતભરના ખેડૂત ખેત મજુર આદિવાસી અગરીયા સહિતના ૩૦ જેટલા શ્રમજીવી સંગઠનો વિવિધ માંગણીઓ સાથે સરકાર સામે આંદોલન કરશે

સરદાર પટેલ સ્મારક ભવન ભદ્ર ખાતે મળેલ આગેવાનોની મીટીંગમાં નિર્ણય

ઉપલેટા તા. ૧૭ :.. તાજેતરમાં સરદાર પટેલ સ્મારક ભવન ખાતે ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો આદિવાસી સંગઠનો અને મહિલા ખેડૂતો સાથે કામ કરતા સંગઠનો અને ખેત મજૂરો સાથે કામ કરતા ૩૦ થી વધુ સંગઠનો મળ્યા હતાં. ગુજરાતમાં ખેડૂતોના દેવા નાબુદી, પાક વિમો, સિંચાઇ અને દુષ્કાળ જેવા મહત્વના મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારનાં જંગલ જમીનના અધિકાર પ્રાઇબલ કાઉન્સીલ એટી પ્લાનના ફંડનો વપરાશ પેશા એકટર, ખાન ખનન જેવા મુદાઓની ચર્ચા કરવામાં આવેલ છે તેમજ મીઠુ પકવતા અગરીયા માછીમાર ખેત મજૂરોના વિવિધ મુદાઓની વિગતવાર ચર્ચા થઇ આવા વિકટ સમયને ધ્યાનમાં રાખી આમ સમાજના હિતોના ભોગે આર્થિક નુકસાન કરનાર વાઇબ્રન્ટ સમીટના તાઇફાઓનો વિરોધ કરવાનો નિર્ણયથયો ચર્ચા વિચારણા પછી મીટીંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે જુદા જુદા સંગઠનો સાથે મળી આંદોનાત્મક કાર્યક્રમો કરશે જેમાં કરમસદથી ગાંધી આશ્રમ અમદાવાદ સુધી પદયાત્રા તા. ૯ થી ૧૧ જાન્યુઆરી દિવસ યોજવી તથા રાજયના ભાવનગર-રાજકોટ,  સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમદાવાદ જીલ્લામાં સંમેલનો યોજવા તા.ર૬ ના તમામ તાલુકા મથકો અને જીલ્લા મથકો ઉપર ખેડૂતો આવેદન પત્ર આપશે, રાજય સરકારને ગરીબ વિરોધી અને ઉદ્યોગપતિ તરફી નીતિઓનો જબરજસ્ત વિરોધ કરવામાં આવશે આર્થિક નીતિઓના કારણે નવી આર્થિક નીતિઓના કારણે નવી આર્થિક નીતિને લઇ ખાનગી કરણ પ્રોત્સાહન અપાય છે મોટા ઉદ્યોગો વધારે મોટા થતાં જાય છે નાના અને લઘુ ઉદ્યોગો તેમજ નાના અને છૂટક વેપારીઓ બરબાદ થઇ રહ્યા છે તેથી  તમામને આ લડતમાં સાથે  લેવામાં આવશે.

ગુજરાતમાં થતાં આડેધડ જમીન સંપાદન તેમજ સિંચાઇના પાણીનો દુર ઉપયોગ ખેતીની વિજળીમાં થતા અન્યાયનો ઉગ્ર વિરોધ આગામી દિવસોમાં જોવા મળશે અને આ મળેલ મીટીંગમાં ગુજરાત કિશાનસભાના ડાયાભાઇ ગજેરા, ગુજરાત ખેડૂત એકતા મં.ના સાગરભાઇ રબારી, પર્યાવરણ સુરક્ષા સમિતિના કૃષ્ણકાંત, ભુમિપુત્ર સંગઠનના રજની દવે, જમીન અધિકારી ઝૂંબેશના ગોવાભાઇ રાઠોડ, અન્નદાતા હિત રક્ષક સમિતિનાં પંકજ પટેલ, કિશાન અધિકાર મંચના ભરતસિંહ ઝાલા, કિશાન એકતા સમિતિના દિપેશભાઇ સહિતની આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. (પ-૧૪)

(11:52 am IST)