Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

જસદણના શિવરાજપુર ગામે ચેકડેમમાં બળદગાડુ ખાબક્યું : પત્નીનું મોત :પતિ- બે બાળકોનો બચાવ

બળદગાડાના બે બાળદમાં એક બળદનું પણ મોત નિપજ્યું

આટકોટ : આટકોટ પંથકમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. શઇવરાજપુર ગામ નજીકનાં ચેકડેમમાં બળદ ગાડા સાથે પડી જતા મોત નિપજ્યું હતું. મહિલાના પતિ તથા બે બાળકોનો આબાદ બચાવ થયોહ તો. બળદગાડાના બે બાળદમાં એક બળદનું પણ મોત નિપજ્યું છે. બળદગાડામાં બે બાળકો હતો તેમનો  ચમત્કારીક બચાવ થઇ ગયો હતો. આ દુર્ઘટનામાં મુક્તાબેન અરવિંદભાઇ વાઘેલા નામની મહિલાનું મોત નિપજ્યું હતું.

    જસદણ ફાયર સ્ટાફ દ્વારા 15-20 ફુટ ઉંડા પાણીમાંથી મહિલાનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત બળદગાડુ પણ બહાર કાઢવામાં આવ્યું હતું. મૃતદેહને જસદણની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાના મોતને પગલે સમગ્ર પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. જ્યારે માતાના મોતનાં કારણે બાળકો પણ માં વિહોણા બન્યા છે.

(11:23 pm IST)