Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા મહંતના પાર્થિવ દેહના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર.

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર તેમજ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવે છે ત્યારે તાજેતરમા જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ ખોડીયાર આશ્રમના મહંત મોક્ષ પામ્યા હતા. તેમના પરિવારજનોમા કોઈ ન હોય, મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ મહંતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા અંતિમ યાત્રા બસ તેમજ વૈકુંઠ રથ સેવા સમાજના દરેક વર્ગને વર્ષોથી વિનામુલ્યે પ્રદાન કરવામા આવી રહી છે. અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા કે બિનવારસી મૃતદેહના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર માટે હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩ ૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-૯૦૯૯૬ ૦૦૦૮૧ પર સંપર્ક કરવો.

(10:27 pm IST)