Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ખ્વાઝા મોહકમુદ્દીન સેરાનીના ૨૪૨માં ઉર્ષનો ૨૫મી થી પ્રારંભ

ધોરાજી માં હિન્દૂ મુસ્લિમોના આસ્થા સમાન

ધોરાજી, તા.૧૭: ગરીબોના બેલી દુઃખીઓ ના સહારા અને જેઓની દરગાહ પર હજારો હિન્દૂ મુસ્લિમો શીશ જુકાવી અને પોતાની મનોકામના માંગે છે તેવું સૌરાષ્ટ્રમાં કોમી એકતાના પ્રતીક સમાન હજરત ખ્વાઝા સાહેબના ૨૪૨માં ઉર્ષ મેળાનું તા ૨૫ ઓકટોબર થી પ્રારંભ થનાર છે આ તકે દરગાહ શરીફના ખાદીમ સૈયદ રસુલમિયાં અલી મિયાં યાકુબમિયાં ગુલામ મોહ્યુદીન સૈયદ અશરફમીયાં મોહમ્મદમિયાં

અહેમદમિયાં મોહંમદહુસેનમિયા

સૈયદ અસગરમીયા ગુલામ મોહ્યુદીન

સૈયદ કાદરમિયા મોહમ્મદમિયાં

સૈયદ પીર એ તરીકત મેહમુદમિયા

એ જણાવેલ કે ઉર્ષ મેળાના પ્રથમ દિવસે તા ૨૫ને ગુરૂવારના રોજ બપોરે સર્વ પ્રથમ દરગાહ શરીફના સર્વે ખાદીમો ની ચાદર પેશ થશે બાદમાં સલાતો સલામ અને દુઆ એ ખેર થશે અને બપોરે ૩ કલાકે દરગાહ શરીફ ખાતેથી ઢોલ નગારાના નાદ સાથે  જાંબુરના સીદીબાદશાહનું આદિવાસી નૃત્ય એ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

અને આ સંદલ શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને ફરી દરગાહ શરીફ પર પૂર્ણ થશે ઉર્ષ શરીફ ના ૪ દિવસ સુધી દરગાહ શરીફ ખાતે મહેફિલ એ મિલાદ સહીતના ધાર્મિક કાર્યક્રમો રાખેલ છે.

ઉર્ષ શરીફની તડામાર તૈયારીઓ ચાલુ છે ઉર્ષ મેળાને સફળ બનાવવા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી હાજી અન્વરશાહ રફાઈના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ અપાઈ રહ્યું છે.

 ઉર્ષ નિયમિતએ લોકો ના મનોરંજન માટે ૪  દિવસીય લોકમેળો પણ યોજાશે.(૨૨.૭)

(12:16 pm IST)