Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પાટણમાં સાડીના વેપારીનો આર્થિક સંકડામણના કારણે આપઘાત

પાટણ, તા. ૧૭ : શહેરના વહેરાઇ ચકલા વિસ્તારમાં આવેલ અવિપ કોમ્પલેક્ષની સંદર ઓમ સાડીની દુકાનના માલીક સુધીરકુમાર ગોરધનદાસ જનસારી મોચી ઉ.૪૩ રહે. વૃજવિહાર સોસાયટી પાટણ મકાન, ૧પ- ભૈરવનગર સોસાયટી રોડ ગઇકાલે રાબેતા મુજબ તેમની દુકાને જઇ દુકાન ખોલી થોડીવાર પછી અડધુ શટર બંધ કરી કોઇ અગમ્યકારણસર પોતાની સાડીની દુકાનમાં જ સાડી સીલીંગ પંખે બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

બાજુના વહેપારીઓને અડધુ શટર બંધ જોઇ શંકા જતા શટર ઉંચુ કરતા પંખે લબકતી લાશ જોઇ આજુ બાજુના વહેપારીઓને જાણ કરતા તેમની પત્ની ફાલ્ગુનીબહેનને જાણ થતાં તેઓ પણ દુકાને આવી પહોંચતા કરૂણતાભર્યા દૃશ્ય સર્જાયા હતા.  નોટબંધી બાદ આર્થિક ટેન્શનો વહેપારીઓને માનસીક ટેન્શનમાં લાવી દેતા આવું પગલુભર્યું હોવાનું જાણવા મળેલ છે. પાટણ એ-ડીવીઝન પોલીસ ગુન્હો નોંધી તપાસ કરી રહી છે.

(4:20 pm IST)