Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વાંકાનેરના રાણેકપરના દુષ્કર્મ પ્રકરણમાં મૌલાના શૌકતઅલી મહેસાણાથી પકડાયો

વાંકાનેરના પીએસઆઈ ધાંધલને મળેલી બાતમીના આધારે મહેસાણાથી દબોચી લેવાયોઃ આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે

વાંકાનેર, તા. ૧૭ :. વાંકાનેરના રાણેકપરના દુષ્કર્મ પ્રકરણમાં નાસતા ફરતા મૌલાનાને મહેસાણાથી દબોચી લેવાયો છે. આજે તેને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ પહેલા વાંકાનેરના રાણેકપર ગામના મૌલાના શૌકતઅલી સહિત કુલ ૭ શખ્સો સામે બાળા પર દુષ્કર્મની કોશિષ સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હામાં વાંકાનેર પોલીસે અગાઉ ૬ શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય આરોપી શૌકતઅલી મૌલાના પોલીસની ભીંસ વધતા નાસી છૂટયો હતો.

દરમિયાન નાસતો ફરતો મુખ્ય આરોપી શૌકતઅલી મૌલાના મહેસાણા હોવાની બાતમી વાંકાનેરના પીએસઆઈ ધાંધલને મળતા વાંકાનેરના પીઆઈ બી.ટી. વાઢીયા તથા પીએસઆઈ ધાંધલે મહેસાણા પોલીસને જાણ કરતા મહેસાણા પોલીસે મૌલાના શૌકતઅલીને દબોચી લીધો હતો. વાંકાનેર પોલીસે મહેસાણા જઈ આરોપી મૌલાનાનો કબ્જો લીધો હતો. પકડાયેલ શૌકતઅલી મૌલાનાને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ પીએસઆઈ ધાંધલ ચલાવી રહ્યા છે.(૨-૧૧)

 

(12:02 pm IST)