Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

હળવદના જુના ઇસનપુર ગામે યુવતિનો આપઘાત

દોઢ વર્ષ પહેલા છૂટાછેડા લીધેલ

હળવદ, તા. ૧૭ : તાલુકાના જુના ઇશાનપુર ગામે રહેતા અને ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા નરશીભાઇ જોધાભાઇની દિકરી કાજલ (ઉ.વ.રર)એ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી જેનાથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. કાજલના દોઢ વર્ષ પહેલા છુટાછેડા થયેલા હતાં. કાજલના મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. જયાં પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ આદરી છે.

નવા દેવળીયા ગામે એસીડ પી જતા મહિલાનું મોત

તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા વસંતબા ઇન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૪૯) માનસીક અસ્થિરતાને કારણે પોતાના ઘરે એસીડ પી જતા સારવાર અર્થે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેઓનું મોત થયું છે.

(11:43 am IST)