Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સોમનાથના ધારાસભ્‍ય કોંગ્રેસના નગરસેવકો દ્વારા અનેક વિસ્‍તારોમાં સમસ્‍યાઓની રજુઆત મ્‍યુનીસીપલ કમીશનરને કરાઈ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭:  સોમનાથ વિસ્‍તારના ધારાસભ્‍ય તેમજ કોંગ્રેસના નગરસેવકો દ્રારા ભાવનગર થી આવેલા મ્‍યુનીશીપલ કમીશ્‍નર ને પ્રાથમીક સુવિધા માટે આરમાયું વર્તન રાખતા હોય તેવી રજુઆત કરાઈ હતી અને આ  સમસ્‍યા તાત્‍કાલીક દુર કરવામાં આવે તેવી માંગ કરેલ હતી.

સોમનાથ વિસ્‍તારના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા ની આગેવાની હેઠળ પ્રાંત અધિકારી ની ઓફીસ માં ભાવનગર મ્‍યુનીશીપલ કમીશ્‍નર અજય દહીયા સાથે મીટીગ યોજાયેલ હતી તેમાં વોર્ડ ર,૩,પ,૬,૧૦માં પ્રાથમીક સુવિધાનો અભાવ જેમાં રોડ, પાણી, લાઈટ, ગટર, સફાઈ જેવી રોજબરોજની સુવિધાઓ મળતી નથી ટેન્‍કરો દ્રારા પાણી આપવમાં આવે છે ૪૦ ટકા વિસ્‍તારોમાં લાઈટ નથી શહેર નો વિકાસ થવો જોઈએ તેના બદલે આ વોર્ડ માં ઓરમાયું વર્તન રાખવામાં આવે છે જથી હજારો શહેરીજનો વર્ષોથી તકલીફ ભોગવી રહયા છે તો તાત્‍કાલીક સમસ્‍યાનો ઉકેલ લાવવાની માંગ કરેલ હતી.

(1:26 pm IST)