Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જુનાગઢ લો કોલેજનું ૯૬ ટકા પરિણામઃ સેમેસ્‍ટર-૬ ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી લેવલે અવ્‍વલ

જુનાગઢ તા.૧૭ : ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા મે-ર૦રરમાં લેવાયેલ એલએલબી.સેમે.૧ની પરીક્ષામાં જુનાગઢ સીનીયર ચેમ્‍બર એજયુકેશન ટ્રસ્‍ટ સંચાલીત  લો કોલેજ જુનાગઢનું ૯૬ ટકા પરિણામ આવ્‍યું હતુ. કોલેજના સેમેસ્‍ટર-૬ના વિદ્યાર્થીઓ ડિસ્‍ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા હતા. તેમજ યુનિવર્સિટી ટોપ-૧૦ લીસ્‍ટમાં પણ અવ્‍વલ રહયા હતા. સેમેસ્‍ટર-૬૭માં ૮૩.૬૦ ટકા સાથે જીતેન્‍દ્રકુમાર દિલીપભાઇ મંધાણી પ્રથમ, ૭૯ઉ૪૦ ટકા સાથે રઇશ સિરાજ એફ. દ્વિતીય અને ૭૯.ર૦ ટકા સાથે કટારીયા રૂચી જે તૃતીય નંબર હાંસલ કર્યો હતો. વિદ્યાર્થીઓના ઉત્‍કૃષ્‍ટ પરિણામ બદલ ટ્રસ્‍ટના પ્રમુખ નાનજીભાઇ વેકરીયા ઉપપ્રમુખ સુરેશભાઇ વેકરીયા, ટ્રસ્‍ટી મંડળ તેમજ પ્રિન્‍સીપાલ ડો. પરવેઝ બ્‍લોચ સહિતના કર્મચારી ગણે શુભેચ્‍છા પાઠવી હતી.

(1:22 pm IST)