Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વિસાવદરમાં ૨૧મી સુધી સતત યોગ શિબિર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૭ઃ જિલ્લા પંચાયત આયુર્વેદીક શાખા, જૂનાગઢના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદીક દવાખાનું, રબારિકા અને સરસઈ તેમજ સમભાવ મિત્રમંડળ-વિસાવદરના સંયુકત ઉપક્રમે નગરપાલિકા હાઈસ્કૂલ- વિસાવદર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નગરજનો યોગ કરી રહ્ના છે. આયુર્વેદ અને યોગનું ડાયાબિટીસ રોગમાં મહત્વ ઉપર રબરિકા મેડિકલ ઓફિસર ડો. પી.બી.બાલસ દ્વારા સલાહ-સુચન-માર્ગદર્શન આપવામાં આવે છે. આ યોગ શિબિર દરરોજ સવારે ૭.૩૦ થી ૮.૩૦ સુધી ૨૧ જૂન ૨૦૨૨ સુધી ચાલનાર હોય નગરજનોઍ લાભ લેવા સમભાવ મિત્ર મંડળના પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલે અનુરોધ કર્યો છે.

(1:20 pm IST)