Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

આદિવાસી મનિષાબેનની અંતિમવિધિ કરતુ સત્યમ મંડળ

વધુ ઍક માનવતાનું કાર્ય

જૂનાગઢ,તા. ૧૭ : ગુરૂવારના રોજ મહારાષ્ટ્રના નંદુબારના રહેવાસી આદિવાસી મનિષાબેન નાના ગાયબવાડ કે જેમના પતિ સુખરામ મોટે મજુરી કામ માટે જૂનાગઢ આવેલ હતા. અને તેમના પત્નીને બીમાર થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ અને ટૂંકી બીમારી બાદ મનિષાબેનનું અવસાન થયેલુ હોય તો તેમની અંતિમવિધિ માટે કોઇ પરિવાર કે સગાવાલા ન હોવાથી તેની અંતિમવિધિ કરવા માટે સત્યમ સેવા યુવક મંડળને જાણ થતા મનસુખભાઇ વાજા, તેમજ કે.કે.ગોસાઇ ખીમાભાઇ ડાભી, મનહરસિંહ ઝાલા દ્વારા અંતિમવિધિ કરી આપવામાં આવેલ હતી. અને તેમના પતિ સુખરામને તેમના વતન મહારાષ્ટ્રના નંદૂબાર ખાતે પહોîચાડવાની વ્યવસ્થા પણ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કરી આપવામાં આવી હતી. 

(1:17 pm IST)