Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સાવરકુંડલામાં વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આવેદનપત્ર પાઠવાયુઃ સાત મુદ્દાની રજુઆત

(દિપક પાંધી દ્વારા) સાવરકંડલા તા. ૧૭ : વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને એક આવેદન પત્ર મામલતદારને પાઠવાયુ ંછે આવેદાન પત્રમાં જણાવાયું છે  કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં જેહાદી કટ્ટરતા અને હિંસા વધી રહ્યા છે.ધાર્મિક શોભાયાત્રાએ ઉપર હુમલાઓ થઇ રહ્યા છે. નુપુરશર્મા અને નવિન જીન્દલના નિવદેશનને નિમિત બનાવી તોફાનોની સાજીશ થઇ રહી છે. તે આવી સાજીશ કરનારા વાતાવરણ બગાડનારા તત્વો સામે પગલા લેવા સાત મુદાનું આવેદન પત્ર સાવરકુંડલા મામલતદારને આપવામાં આવ્યું છે આ વેળા બજરંગદળના યુવા કાર્યકરો શીસ્તબધ્ધ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શહેર પોલીસે પણ અગમચેતીના ભાગરૂપે મામલતદાર કચેરી પાસે બંદોબસ્ત જાળવ્યો હતો.

(1:13 pm IST)