Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પોરબંદરના દરિયામાં ચોમાસાનો કરન્‍ટ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ : દરિયાના પાણીમાં ચોમાસાનો કરન્‍ટ શરૂ થયો છે. ઇન્‍દ્રેશ્વર મંદિર તથા ચોપાટી કાંઠા ઉપર મોજા ઉછળવાનું શરૂ થયું છે. ઇન્‍દ્રેશ્વર મંદિર કાંઠે ભેખડ સાથે મોજા અથડાયા બાદ તેની છાંટ મંદિરની ધ્‍વજાને ભીંજવી જાય છે.

શહેરમાં ગઇકાલે સાંજે વરસાદના છાંટા પડી ગયેલ હતા. ચોપાટીથી અસ્‍માવતી ઘાટ દરિયાકાંઠે મોજા ઉછળી રહેલ છે. ગુરૂત્તમ ઉષ્‍ણાતામાન ૩૪.૫, લઘુત્તમ ઉષ્‍ણાતામાન ૨૮.૮ સે.ગ્રે., પવનની ઝડપ ૧૩ કિમી, હવાનું દબાણ ૧૦૦૪.૩ એચ.પી.એ., સૂર્યોદય ૬.૦૮ તથા સૂર્યાસ્‍ત ૭.૩૬ મીનીટે, વરસાદ ૪ મીમી (૫.૨ મીમી), ખંભાળા જળાશય વિસ્‍તારમાં ગઇકાલે સાંજે વરસાદ પડતા ૬ મીમી નોંધાયો છે.

(1:57 pm IST)