Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળે આવેદન આપ્‍યું

મોરબી : દેશમાં હાલ અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે જેહાદી તત્‍વો સતત હિંસા ફેલાવી રહ્યા છે ત્‍યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદન પાઠવી આવા તત્‍વો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા મોરબી જીલ્લા કલેકટર મારફત રાષ્‍ટ્રપતિને આવેદન પાઠવી જણાવ્‍યું છે  ૧. ગત બે જુમ્‍મે નમાજ પછી મસ્‍જીદોથી નીકળેલી ભીડ અને દંગા ભડકાવનારની ઓળખ કરી કાર્યવાહી  કરવામાં આવે ૧૭ જુનના રોજ આવી મસ્‍જીદો પર નજર રાખવામાં આવે. ૨. ભડકાવવા વાળા મૌલવીઓ અને અન્‍ય મુસ્‍લિમ તેમજ સેકયુલર નેતાઓની ઓળખ કરીને રાસુકા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ૩. દેશમાં ઝેરીલા ભાષણ આપવા વાળા સામે કાર્યવાહી કરાય. ૪. જે લોકોને ધમકીઓ મળે છે તેને સુરક્ષા આપવામાં આવે અને ધમકી આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરાય. ૫. જે મસ્‍જીદો અને મદ્રેસાઓમાંથી ભીડ નીકળે છે તેની એનઆઈએ ટીમ દ્વારા તપાસ કરાય . ૬.  જેહાદી કટ્ટરતા ફેલાવનાર અને દેશમાં હિંસા ફેલાવનાર પોપ્‍યુલર ફ્રન્‍ટ ઓફ ઇન્‍ડિયા અને તબલીગી જમાત જેવા સંગઠનો પર  પ્રતિબંધ લગાવવામાં આવે. ૭. જે સ્‍થળોએ હિંદુ અલ્‍પ સંખ્‍યક છે ત્‍યાં સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી છે.ે

(1:08 pm IST)