Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ધોરાજીના લીલાવંતીબેન ગઢીયાનું અવસાન થતા ચક્ષુદાનઃ માનવ સેવા યુવક મંડળને ૪રમુ ચક્ષુદાન મળ્‍યું

ધોરાજી તા.૧૭ : જુનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્‍વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલ જલારામ આવાસમાં રહેતા લીલાવંતીબેન રમણીકલાલ ગીયાનું અવસાન થતા પરિવારજનોએ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્‍પિટલ અધીક્ષક ડો. જયેશ વેસેરીય અને મેડીકલ ટીમ અને માનવ સેવાના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકી સહિતનાઓ પહોંચીને સ્‍વ. લીલાવંતીબહેનના ચક્ષુદાન કરીને ચક્ષુઓ માનવ સેવા યુવક મંડળ દ્વારા રાજકોટ સ્‍થીત જી.ટી. શેઠ સરકારી આંખની હોસ્‍પિટલ ખાતે પહોંચતા કરેલ. આ તકે લોહાણા સમાજના પ્રમુખ પ્રવિણભાઇ હિંડોચા, બકુલભાઇ કોટક, શરદભાઇ ગઢીયા, ધવલભાઇ ગઢીયા, ઘેલાભાઇ ગઢીયા, વિનુભાઇ ગઢીયા અને સમાજશ્રેષ્‍ઠી હાજર રહેલ. આ તકે માનવ સેવા  યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી સહિતની સેવાઓને બિરાવી શ્રધ્‍ધાસુમન અર્પણ કરેલ અને માનવ સેવા યુવક મંડળને ૪રમું ચક્ષુદાન મળેલ છે અને આ તકે લોહાણા સમાજના અગ્રણીએ માનવ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓને બીરદાવી હતી.

(11:48 am IST)