Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

એરફોર્સના ફલાઇંગ ઓફિસર ભાવનગરના જયદત્તસિંહ સરવૈયાનો આપઘાત

ગ્‍વાલિયરની હોસ્‍ટેલના રૂમમાં ટ્રેનીંગ દરમિયાન ગળેફાંસો ખાઇ લીધો : નોકરીના ટેન્‍શનની વાત કરતા : ૪ દિવસ પછી રજા મળનાર હોવાથી ભાવનગર આવવાનો હતો

(મેઘના વિપુલ ઞિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭ : ભાવનગરના વતની અને એરફોર્સમાં ફલાઈંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાને ગ્‍વાલિયર ખાતે ટ્રેનિંગ દરમિયાન તેની હોસ્‍ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી મુજબ એરફોર્સમાં ફલાયીંગ ઓફિસર ક્‍લાસ ૧ રેન્‍ક ધરાવતા ભાવનગરના ૨૫ વર્ષિય યુવાને ગ્‍વાલિયર ખાતે ટ્રેનિંગ દરમિયાન તેની હોસ્‍ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્‍યો છે. તેમના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને આજે ભાવનગર ખાતે લાવી અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે .ᅠ

ઈન્‍ડિયન એરફોર્સમાંની પરીક્ષા પાસ કરી એક વર્ષ પહેલા ફલાઈંગ ઓફિસર બનેલા જયદત્તસિંહ પ્રદ્યુમ્‍નસિંહ સરવૈયા ઉ.વ.૨૫ᅠ એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. બેંગ્‍લોર ખાતે ટ્રેનિંગ પુર્ણ કર્યાં બાદ ગ્‍વાલિયર તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી દરમિયાન બુધવારેᅠ ગ્‍વાલિયર ખાતે હોસ્‍ટેલના રૂમમાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ તેમના પરિવારને થતાં તેઓ ગ્‍વાલિયર પહોંચ્‍યા હતા અને તેમના મૃતદેહને આજે સવારે ભાવનગર લાવવામાં આવ્‍યા બાદ અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે . એરફોર્સની સૌથી અઘરી કહી શકાય તેવી પરીક્ષા પાસ કરી તેઓ એરફોર્સમાં જોડાયા હતા અને પહેલા બેંગ્‍લોર ટ્રેનિંગ પુરી કરી ગત જાન્‍યુઆરી માસમાં ભાવનગર ઘરે આવ્‍યો હતો.

જે પછી તેમની ટ્રેનિંગ ગ્‍વાલિયરમાં ચાલતી હતી અને ત્‍યાં તેમણે આ પગલું ભર્યું હતું.ᅠ પરિવારને ઘણીવાર નોકરીના ટેન્‍શનની વાત કરતો. ભણવામાં ખુબ તેજસ્‍વી હતો. તેના મૃતદેહને લવાઈ રહ્યો છે. મૃતકને ચાર દિવસ પછી તેને રજા મળવાની હોય ભાવનગર આવવાનો હતો પરંતુ તે પહેલાં જ આ પગલું ભરી લીધું હતું.

(10:53 am IST)