Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જૂનાગઢના ચાંપરડા સ્થિત જય અંબે હોસ્પિટલની મુલાકાતે પુરૂષોતમ રૂપાલા

જૂનાગઢ : ચાંપરડા સ્થિત જય અંબે મલ્ટી સ્પેસ્યાલીસ્ટ હોસ્પિટલની કેન્દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી  પુરૂસોત્ત્।મભાઇ રૂપાલાએ આજે મુલાકાત લીધી હતી. તેઓશ્રી  અહિં દર્દીઓને અપાતી સુવિધાઓથી માહિતગાર થયા હતા. મંત્રીશ્રીએ હોસ્પિટલે આવેલા દર્દીઓ સાથે સંવાદ સાધી તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રીની જય અંબે  હોસ્પિટલની મુલાકાત પ્રસંગે સંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, હોસ્પિટલના કર્મચારીઓ, આગેવાનો તથા અગ્રણીઓ સાથે રહ્યા હતા. જૂનાગઢ બીલખાના રેલ્વે સ્ટેશન ચોકમાં બ્રમ્હલીન સંતશ્રી ગોપાલાનંદ બાપુની પ્રતિમાનું કૃષિ રાજયમંત્રીશ્રી  પુરૂસોતમભાઇ રૂપાલાએ અનાવરણ કર્યું હતું. અગ્ની અખાડાના સભાપતિ અને સાધુ સમાજના પ્રમુખ બ્રમ્હલીન ગોપાલાનંદ બાપુની બીલખા ખાતે પ્રતિમાના અનાવરણ પ્રસંગે ચાંપરડા આશ્રમના મહંતશ્રી મુકતાનંદ બાપુ, સંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમર, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલે પણ પ્રતિમાને પુષ્પહાર કર્યા હતા. ૧૦૦ વર્ષથી વધુ આયુષ્ય ભોગવી ત્રણ વર્ષ પહેલા બ્રમ્હલીન થયેલા સંતશ્રી ગોપાલાનંદ બાપુના નિવાસસ્થાન રાવતેશ્વર ધર્માલયની પણ મંત્રીશ્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ મુલાકાત લઇ પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે વરીષ્ઠ સંતો સર્વશ્રી સંપૂર્ણાનંદની મહારાજ, સોમેશ્વરાનંદજી મહારાજ, વિશ્વેરાનંદજી મહારાજ, નિલેશ ચેતન મહારાજ, સાધનાનંદજી મહારાજ, પરમેશ્વરાનંદજી મહારાજ સહિત સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(12:54 pm IST)