Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સારવાર માટે અમદાવાદ ગયેલ મોરબીના વૃધ્ધને કોરોના આવ્યોઃ વધુ એક કેસઃ કન્તીનગરના ૯ ઘરના ૩૧ લોકો કન્ટેમેન્ટ ઝોનમાં

મોરબી,તા.૧૭: મોરબીના મહેન્દ્રનગર ચોકડી ખાતે પંચર દુકાન ધરાવતા વૃદ્ઘ અમદાવાદ સારવાર માટે ગયા હોય જયાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ગત તા. ૩૦-૦૫ ના રોજ હૃદય રોગનોહુમલો આવતા અમદાવાદ સારવાર માટે ગયા હતા જયાંથી પરત આવ્યા હતા અને ત્રણ દિવસ દુકાને રહ્યા બાદ ફરીથી તકલીફ થતા અમદાવાદ સારવાર માટે ગયા હોય જયાં કોરોનાના લક્ષણ દેખાતા સેમ્પલ લેવાયા હતા અને રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે ૬૫ વર્ષના વૃદ્ઘ અને તેનો પુત્ર સાયકલ પંચર દુકાનમાં રહેતા હતા જેમાં પિતાને કોરોના પોઝીટીવ આવતા પંચર દુકાનને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાય તેવી શકયતા છે જોકે હાલ મોરબી આરોગ્ય વિભાગ અમદાવાદથી માહિતી મેળવી રહ્યું છે.જ્યારે વૃદ્ઘાના પુત્ર કન્તીનગર વિસ્તારમાં રહેતા હોવાથી તે વિસ્તારના ૯ઘરોના ૩૧ લોકોને કન્ટેમેન્ટ જોનમાં સમાવેશ કરવમાં આવ્યો છે.

(11:43 am IST)