Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાં ભાનુશાલી દિપક જોઈસરની હત્યા :પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો :મૃતકની માતા બેશુદ્ધ

જામનગરમાં ભાનુશાલી દિપક જોઈસરની હત્યા થઇ છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો છે મૃતકની ઓળખ બાદ તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ પહોંચ્યા હતા જ્યાં મૃતકની માતા બેશુદ્ધ થયા છે

આ અંગેની વિગત મુજબ આવાસ કોલોનીમાં રહેતા ભાનુશાલી દિપક પ્રભુભાઈ જોઇસરની જામનગરના સાત રસ્તા વિસ્તારમાં હત્યા કરવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે.

 આ ઘટનાને પગલે પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને મૃતકની માતા પણ બેશુદ્ધ થઈ જતા 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.(તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)

(11:22 pm IST)