Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કાલે સુરેન્દ્રનગરમાં ર૦ ઉપાસકો બૌદ્ધ દીક્ષા અંગીકાર કરશે

વઢવાણ, તા. ૧૭ : સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે આવેલા અમર બૌધી વિહાર ખાતે આવતાકાલ શનિવારના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે સાંજના પ કલાકે ભીખ્ખુ પથિકના સાનિધ્યમાં ર૦ જેટલા ઉપાસકો બૌદ્ધ ધર્માંતર કરવાના છે.

ત્યારે વઢવાણના ઘરશાળા સામે આવેલા અમર બૌધિક વિહાર બુદ્ધનગર રેલ્વે પાટાના પાછળ આવેલ સંસ્થામાં ર૦ જેટલા લોકો ધર્મ પરિવર્તન કરવાના છે ત્યારે આ જગ્યા ઉપર સવારના ૬ થી ૭ મહાપૂજા (બુધ્ધ વંદના, ત્રિરત્ન વંદના બુધ્ધ સુતપાઠ ૭થી ૯ નગર યાત્રા પ્રભાત ફેરી સવારે ૯ કલાકે ધ્વજારોહણ બપોરે ૧ર વાગ્યે બોદ્ધ ભોજન અને સાંજના પ કલાકે બોધ્ધ દીક્ષા અંગીકાર કરશે. ર૦ ઉપાસકો રાત્રીના ૮ કલાકે બુધ્ધ ભોજન, રાત્રીના ૧૧ થી ૪, મહા પરિત્રાણ સુતપાઠ સવારના ૪ કલાકે બૌદ્ધ પૂજા સાથે સમાપન વીધી કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

(1:14 pm IST)