Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જુનાગઢ વણીક મીત્ર મંડળ મુંબઈનું ૨૮મું વાર્ષીક સ્નેહ મીલન યોજાયુ

રાજકોટ,તા.૧૭: મુંબઈ ખાતે સ્થાયી  થયેલા જુનાગઢ તથા તેના આસપાસના ગામોના જૈન તથા વણીક કુંટુંબોનું મંડળ મુંબઈ ખાતે ૨૮ વર્ષથી કાર્યશીલ છે. મંડળ સભ્યો માટે દરવર્ષે જુન મહીનાના પહેલા રવિવાર માધવ  વાગ ઘાટકોપર ખાતે આખા દિવસનું સંમેલન યોજે છે. પ્રમુખ દિનેશભાઈ કોઠારી તથા મંત્રી હરેશ અવલાણી ૨૮ વર્ષથી સક્રીય છે.

મંડળ દરવર્ષે મેમ્બરો માટે નોટબુક વિતરણ, ઈનામ વિતરણ, બહુમાન, મનોરંજન પ્રોગ્રામ તથા લંચ- ડીનરનું આયોજન કરે છે.૨૦૧૯નું સંમેલન માતુશ્રી મુકતાબેન વસંતરાય મીઠાણી પરિવાર પ્રેરીત છે. જેમાં મુખ્ય મહેમાન હર્ષ પ્રકાશ મહેતા, અતુલ ચીમનલાલ કામદાર, મુકેશ  પ્રભુદાસ અવલાણી અને સમારંભ પ્રમુખ અનીલભાઈ સુતરીયા, સ્વાગત પ્રમુખ સુરેશભાઈ લાખાણી ઉપસ્થિત રહેશે. વધુ માહીતી માટે હરેશ અવલાણી (મો.૦૯૮૨૧૦ ૦૬૨૨૩ ) ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)