Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

માણાવદરમાં સ્વામીનારાયણ જન્મોત્સવની ઉજવણી : વિશાળ શોભાયાત્રા નિકળી

માણાવદર તા.૧૭ : ભગવાન સ્વામીનારાયણ અનેક વખત પધાર્યા છે. તેઓએ આ ભૂમીને પવિત્ર કરી છે અહી પધાર્યા છે તેવા ગાંધીચોકના સ્વામી નારાયણ મંદિર ખાતે સ્વામીનારાયણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઇ હતી તથા મહાપ્રસાદનું વિતરણ કરાયુ તેમ કોઠારી સ્વામી મોહનપ્રસાદજી સ્વામીએ જણાવ્યુ હતુ. અનેક ભકતજનોએ લાભ લીધો હતો.

ભગવાન રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી થઇ જેમાં રામમંદિરમાં આરતી થઇ હતી તથા પ કલાકે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં ૧ થી પ ફલોટને ઇનામો વિતરણ કરાયા. શોભાયાત્રા મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇ ઠેર ઠેર ઠંડા પીણા, આઇસ્ક્રીમ સહિત ભકતજનોનું સ્વાગત કરાયુ. આમજનતા શોભાયાત્રામાં જોડાઇ હતી.

(11:46 am IST)