Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જામનગર લાખોટા તળાવ ખાતે મતદાન જાગૃતિ અભિયાન-શપથ ગ્રહણ

જામનગર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લાખોટા તળાવ ખાતે સિગ્નેચર કેન્ટીનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં જામનગર વાસીઓએ ભાગ લીધો અને સાથે જ નાટક, ફલેશ મોલ ડાન્સ જેવા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જાહેર જનતાએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જામનગરવાસીઓ દ્વારા ઇલેકશન કમિશનના લોગોનું મોબાઇલ ફલેશથી નિર્માણ પણ કરવામાં આવેલ હતું. અને 'હું અવશ્ય મતદાન કરીશ' અંગેના શપથ નાગરિકોએ લીધા હતા તેમજ જાહેર જનતાએ પરસ્પર એકબીજાને ''મતદાર હોવાનો ગર્વ છે'' ના બેલ્ટ બાંધ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર જામનગર રવિશંકર, સ્વીપના નોડલ ઓફીસર અફસાના મકવા, શિક્ષણ નિરીક્ષક બીનાબેન દવે, પ્રફુલભાઇ પાલા અને સ્વીપના સભ્યો ડી.વી.નિમાવત, આર.જી.વિઠલાણી, કે.એમ.કણસાગરા, એમ.આર.દલવાડી, અને જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ અહેવાલ- મુકુંદ બદિયાણી-જામનગર)

(11:43 am IST)