Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ખીરસરાના રાજેન્દ્રસિંહ જાડેજા અને પુષ્પરાજસિંહ જાડેજા ભાજપમાં જોડાયા

ખીરસરા તા.૧૭: રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરતા ખીરસરાના રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ પુષ્પરાજસિંહ જાડેજા. રાજકોટ લોકસભા ૧૦ના વિધાનસભા -૭૧ના લોધીકા તાલુકાની મધ્યસ્ત ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ખીરસરાના સક્રિય સ્ટેટના રાજેન્દ્રસિંહ જાડેજા જેઓ વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા અને ખીરસરા ગામના માજી સરપંચ છે તેઓ આજે ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાની પ્રેરણાથી કોંગ્રેસ છોડી રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયેલ છે તેમની સાથે માજી ઉપસરપંચના પુત્ર પુષ્પરાજસિંહ જાડેજા પણ ભાજપમાં જોડાએલ છે. તેઓના ભાજપ પ્રવેશને લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ તાલુકાની સમગ્ર ભાજપ ટીમે આવકારેલ છે.

(10:26 am IST)