Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જામનગરમાં બ્રેઈનડેડ યુવકના અંગોનું દાનઃ ૨ કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કર્યુ

જામનગર, તા. ૧૬ :. જામનગરના બ્રેઈનડેડ યુવાનના અંગોનું દાન કરીને પરિવારે સરાહનીય નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના જીજ્ઞેશ વિરાણી નામના યુવકને પેરાલીસીસ એટેક આવ્‍યા બાદ બ્રેઈનડેડ થયુ હતું. ત્‍યાર બાદ પરિવારજનોએ બે દિવસની સારવાર છતાં પણ કોઈ સુધારો ન આવતા તેમના અંગદાનનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

જેથી જામનગરની ક્રિટીકલ કેર હોસ્‍પીટલ ખાતે ડો. નિકુંજ ચોવટીયા અને ધવલ માલદે સહિતના તબીબોએ અંગદાનની કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવકની બે કિડની, એક લીવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવ્‍યુ હતું.

રાજ્‍યમંત્રી આર.સી. ફળદુએ પણ અંગદાનના નિર્ણયને આવકાર્યો હતો અને પરિવારજનોની મુલાકાત લીધી હતી. અમદાવાદથી ડોકટરોની ટીમ આવી પહોંચી હતી અને અંગદાન લીધુ હતું.

(4:37 pm IST)