Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

જામનગર કોર્ટમાં 'કોરોના'ના કારણે ૩ સપ્તાહ માટે અવરજવર ઉપર મનાઇ

જામનગર, તા.૧૭ : જામનગર કોર્ટમાં 'કોરોના'ના કારણે ૩ સપ્તાહ માટે અવરજવર ઉપર મનાઇ ફરમાવી છે.

ત્રણ સપ્તાહમાં માટે પક્ષકારો, આરોપીઓને આવવા ઉપર મનાઇ ફરમાવી છે.

આજે બપોરે ડીસ્ટ્રીકટ જજશ્રી ત્યાગીની હાજરીમાં બાર એસોસીએશન સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

વકીલોને પણ જલ્દીથી કામ પૂર્ણ કરીને નીકળી જવા આદેશ કરાયો છે. તેમજ કોર્ટનો માત્ર એક દરવાજો ખુલ્લો રહેશે. જામીન અરજી, રીમાન્ડ અરજી, વચગાળાની મનાઇ હુકમની અરજી જ માત્ર ચાલશે.

(4:37 pm IST)