Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોના વાયરસ ઈફેક્ટ : સોમનાથ મહાદેવ મંદિરમાં એડવાન્સ બુકીંગ પણ કેન્સલ : આવાસો ખાલીખમ

મંદિર ટ્રસ્ટે સ્ટાફ ને માસ્ક પહેરવા, હાથ ન મીલાવવા, સહીતની સુચનાઓ આપી

સોમનાથ :  કોરોના વાયરસના કારણે મંદિરોમાં પણ વિશેષ તકેદારી રાખવામા આવી રહી છે  ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરમાં પણ કોરોના ઈફેક્ટ જોવા મળી અને મંદિરમાં એડવાન્સ બુકિંગ પણ કેન્સલ થયા છે  સરકાર અને આરોગ્ય વિભાગની સૂચનાથી દેશ વિદેશથી આવતા યાત્રીકોની સંખ્યામાં પણ બે દિવસથી ખૂબજ ઘટાડો જોવા મળ્યો. સોમનાથ મંદિર ટ્રસ્ટનું મુખ્ય બુકીંગ હાઉસમાં 400 જેટલા આવાસોનું બુકીંગ થાય છે. ત્યાં 100થી વધુ બુકિંગ કેન્સલ થયા અને તે પણ ખાલીખમ જોવા મળ્યુ હતુ. બીજી તરફ, સોમનાથ ટ્રસ્ટ યાત્રીકોની તકેદારીના ભાગરુપે પોતાના સ્ટાફ ને માસ્ક પહેરવા, હાથ ન મીલાવવા , સહીતની સુચનાઓ આપી. સોમનાથ ટ્રસ્ટે વેબસાઈટ અને સોશિયલ મીડિયા સાઈટથી જ ઘરે બેઠા દર્શન કરવા પણ અપીલ કરી.

(12:01 pm IST)