Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગોંડલ શ્રીરામજી મંદિર પૂ. હરીચરણદાસજી મહારાજની નિશ્રામાં રામનવમી મહોત્સવનો પ્રારંભ

શહેરના કાશીવીશ્વનાથ રોડ ઉપર આવેલ શ્રી રામજી મંદિર ખાતે રામનવમી પર્વ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. આજે ધાર્મિક મહોત્સવમાં સૌપ્રથમ કળશ સ્થાપન થતા અષ્ટોત્ત્।રશત શ્રીરામચરિત ના સમૂહ પાઠ, રવિવારે પાઠ પ્રસંગે શ્રીરામ જન્મ મહોત્સવ, તા. ૧૯ માર્ચ પાઠ પ્રસંગે શ્રીરામ વિવાહ, તા. ૨૨ માર્ચ અખંડ સંકિર્તન, તા. ૨૩ માર્ચના રોજ પૂજય હરિચરણદાસજી મહારાજની જન્મજયંતિ, તા ૨૪ માર્ચે પાઠ પ્રસંગે શ્રીરામ રાજયાભિષેક તેમજ તા. ૨૫ માર્ચ રવિવાર ચૈત્ર સુદ નોમ ના ૧૨ કલાકે શ્રીરામ જન્મ મહોત્સવ અને લઘુરામ યજ્ઞ કરવામાં આવનાર છે, તા. ૨૯ માર્ચ ગુરુવારના રોજ પૂજય રણછોડદાસજી મહારાજની પુણ્યતિથિ ઉજવાશે અને તા. ૩૧ માર્ચ શનિવારના રોજ હનુમાન જયંતિ મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવનાર છે.

પૂજય ગુરુદેવ હરિચરણદાસજી મહારાજના ૯૬ માં પ્રાગટ્ય દિવસે તા. ૨૩ માર્ચે શુક્રવાર ના રોજ બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું છે, જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાઓ સવારે ૧૦.૩૦ કલાકે હાજર રહેશે, આ સાથે હોસ્પિટલમાં આંખ વિભાગના નવનિર્માણનું ભૂમિ પૂજન, આંખ વિભાગ યાગ લેસર અને સોનોગ્રાફીના મશીન નું લોકાર્પણ, નવા સ્ટાફ કવાર્ટર્સ નું ભૂમિ પૂજન, પૂજય 'મા સ્વામી સાથેના મારા આત્માનુંભાવો' પુસ્તકનું વિમોચન તેમજ પરમ પૂજય ગુરુદેવની પ્રેરણાથી શાળા ભવનના નવ નિર્માણની જાહેરાત કરવામાં આવનાર છે.(અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:43 am IST)