Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ભાવનગરમાં બંધ મકાનમાંથી સોનાના દાગીના રોકડ સહિત ૧ લાખની ચોરી

ભાવનગર, તા. ૧૭ : દેસાઈનગર વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૧ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

ચિત્રા રોડ દેસાઈનગરમાં પ્લોટ નં. ૨૭માં રહેતા નટવરસિંહ નવલસિંહના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજાના નકુચા તોડી મંદિરમાં પ્રવેશી કબાટમાં રાખેલ સોનાની વીંટી, બંગડી, બે મોબાઈલ તથા રોકડા રૂ.૧૫ હજાર મળી કુલ રૂ.૯૫ હજારની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે યોગેન્દ્રસિંહ ચુડાસમાએ ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)