Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

કેશોદના નાગલધામે મહિયા ક્ષત્રિય સમાજનો ૨૨ મો સમૂહ લગ્નોત્‍સવ યોજાયો

૬૫ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં

 (સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૬ :  અજાબ શેરગઢ મધ્‍યે મહિયા ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ નાગબાઈ માતાજીના સાનિધ્‍યમાં નાગલધામ ખાતે  મહિયા ક્ષત્રિય સમાજનો ૨૨ મો સમુહ લગ્નોત્‍સવ યોજવામાં આવ્‍યો હતો.મહિયા ક્ષત્રિય સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલા સમુહ લગ્નોત્‍સવ માં ૬૫ નવદંપતિ ઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. 

મહિયા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા દરેક દીકરીઓને રોકડમાં બંધ કવરો આપવામાં આવ્‍યાં હતાં. નામાંકિત કલાકારોનો લોક ડાયરો યોજવામાં આવ્‍યો હતો અને ઉપસ્‍થિત મહેમાનો આગેવાનો દ્વારા જે રોકડ રકમ ઘોળ તરીકે વરસાવ્‍યા હતા તમામ સમુહ લગ્નોત્‍સવ માં ઉપયોગમાં લેવામાં આવેલ હતાં. કેશોદ પંથકમાં વસતાં મહિયા ક્ષત્રિય સમાજના વીસેક હજાર જ્ઞાતિજનો એ ભોજનનો લાભ લીધો હતો. કેશોદ ધારાસભ્‍ય દેવાભાઈ માલમ સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના આગેવાનો પદાધિકારીઓ   ઉપસ્‍થિત રહ્યાં હતાં.  મહિયા ક્ષત્રિય સમાજ સમુહ લગ્ન સમિતિના પ્રમુખ મોહનસિંહ દયાતર અને મહિયા ક્ષત્રિય સમાજના પ્રમુખ ભગવતસિંહ બાબરીયા નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મહિયા ક્ષત્રિય સમાજના ૨૨ માં સમુહ લગ્નોત્‍સવ ને સફળ બનાવવા સમુહ લગ્ન સમિતિના તમામ સભ્‍યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

(12:22 pm IST)