Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

ભાવનગરની પીએનઆર સોસાયટીમાં રવિવારે વિવિધ પ્રકલ્‍પોનું લોકાર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭ : દિવ્‍યાંગોના પુનઃસ્‍થાપન માટે અવિરત કાર્યરત અને જેના સેવાકાર્યોની નોંધ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે લેવાઇ રહી છે તેવી પીએનઆર સોસાયટી તથા સંલગ્નિત સંસ્‍થાઓ દ્વારા કેટલાક નવા પ્રકલ્‍પો લોકાર્પિત થઈ રહ્યા છે, જેનાથી દિવ્‍યાંગો માટે સુવિધા અને સુશ્રુષામાં વધારો થશે.

તા. ૧૯ ફેબ્રુઆરીને રવિવારે સાંજે નટરાજ કોલેજ કેમ્‍પસ, કાળિયાબીડ, ભાવનગર ખાતે ડો. પૂજ્‍ય જ્ઞાનવત્‍સલસ્‍વામી (લાઈફ કોચ અને એમિનન્‍ટ સ્‍પીકર, BAPS સ્‍વામીનારાયણ સંસ્‍થા)ના અધ્‍યક્ષ સ્‍થાને અને અન્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે દાતાશ્રીઓ પણ વિશેષ ઉપસ્‍થિત રહેશે અને સંસ્‍થામાં ચાલતી પ્રવળત્તિઓ તથા કાર્યોથી પરિચીત થશે.  શારિરીક - માનસિક વિવિધ પ્રકારનાં દિવ્‍યાંગો માટે એક છત્ર નીચે ચાલતી અનેક પ્રવળત્તિ - સેવા યજ્ઞમાં ભાવનગરની આ સંસ્‍થા માત્ર રાજ્‍યમાં જ નહીં દેશમાં મોખરે છે.

(12:51 pm IST)