Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મોરબીના રામધન આશ્રમમાં શિવ મહાપુરાણ કથાની પુર્ણાહુતી :શિવવિવાહ સહિતના પ્રસંગોની ઉજવણી

 

મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે રામદેવજીના સવરા મંડપના બાર વર્ષ પૂર્ણ થવાના અવસરે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા બાળ વિદુષી રતનબેન ગુરુશ્રી ભાવેશ્વરી માતાજીએ કથાનું રસપાન કરાવ્યું હતુ

 રામધન આશ્રમ ખાતે શિવ મહાપુરાણ કથામાં ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું તે ઉપરાંત કથા દરમિયાન શિવપાર્વતી વિવાહ, ગણપતિ પ્રાગટ્ય, રુદ્રાક્ષ મહિમા, જ્યોતિલિંગ કથા સહિતના પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી તેમજ ધાર્મિક નાટકનું પણ આયોજન કરાયું હતું રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના માર્ગદર્શન હેઠળ કથાની પુર્ણાહુતી ધામધુમથી કરાઈ હતી કથા દરમિયાન સેવકગણોએ જહેમત ઉઠાવી હતી

(12:47 am IST)