Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કાલાવડમાં પાણીના ટાંકામાં પડી જતા કિશોરનું મોત

જામનગરના રૂ. ૬પ હજારની ઘરફોડી

 

જામનગર, તા. ૧૬ :  વાવડી ગામના પાટીયા પાસે, રાઘેક્રિષ્ના જીનીંગમીલ પાસે, કાલાવડમાં રહેતા સુરેશભાઇ દામજીભાઇ કનેશ, ઉ.વ.ર૩ એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે રસીકભાઇ સુરેશભાઇ કનેશ, ઉ.વ.૧પ રમતા ખુલ્લા પાણીના ટાકામાં પડી જતા પાણી પી જતા મૃત્યુ પામેલ છે.

જામનગર સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હરદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે કીર્તીમાન પાછળ, રણજીતસાગર રોડ ઉપર હરદેવસિંહના બંધ મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં બેડ રૂમમાં આવેલ લોખંડની તીજોરી ખુલ્લી હોય તેમાં રાખેલ સોનાના દાગીના દોઢ તોલાના કિંમત રૂ. પ૭,૦૦૦/- તથા રોકડા રૂ. ૧ર,૦૦૦/- મળી કુલ રૂ. ૬પ,૦૦૦ નો ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

જામવાડી ગામે જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હરેશભાઇ મનજીભાઇ પરમારએ ફરીયાદ નોંધાવી છે કે, જામવાડી ગામમાં ઝાપા પાસે બાપા સિતારામની મઢીની બાજુમાં ગીરધરભાઇ ભડાણીયા, હિતેષભાઇ લીલાભાઇ સંબારકા, અમૃતભાઇ ઘરમશીભાઇ ખાંટ, જયંતિલાલ વિરજીભાઇ ડેડાણીયા બાવનજીભાઇ મોહનભાઇ કાલરીયા, જમનાદાસભાઇ નારણભાઇ સગારકા, રે. જામજોધપુરવાળા જુગા રમતા રૂ. ૧૯૯૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

(11:40 am IST)