Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જામનગરમાં આજે CAA ના જનસમર્થનમાં રેલી શહેરીજનોને જોડાવા કન્વીનરની અપીલ

જામનગર તા ૧૭  : CAA જનસમર્થન સમિતી, જામનગર દ્વારા આજે શુક્રવારે સાંજે ૪.૦૦ વાગ્યે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી નાગરિક સંશોધન કાયદો ૨૦૨૦ (CAA) નાં સમર્થનમાં એક વિશાળ જનરેલી યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. સમિતી દ્વારા આ રેલીમાં જોડાવવા માટે શહેરના સંતો-મહંતોને વિનંતી કરતા શહેરના આણંદાબાવા સેવા સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ, પ્રણામી સંપ્રદાયના શ્રી કૃષ્ણમણીજી મહારાજ, મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી તેમજ બીપીએસનાં શ્રી ધર્મનિધિદાસજીએ સદરહુ જન સમર્થન રેલીમાં જોડાવા માટે સંમતિ આપતાં ઉપરોકત સંતોની આગેવાનીમાં શહેરનાં વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, કોલેજના વિદ્યાર્થીઓ, સામાજીક-ધાર્મિક સંસ્થાનાં આગેવાનો, જ્ઞાતિ સંસ્થાઓના આગેવાનો સહિત ખુબ મોટી સંખ્યામાં યુવાનો ભાઇઓ-બહેનો સહિત કેન્દ્ર સરકારે મંજુર કરેલ નાગરિક સંશોધન કાયદાને પોતાનું સમર્થન આપવા જોડાશે. આ જનસમર્થન રેલીમાં જામનગરનાં તમામ વર્ગના લોકોને પોતાના મિત્ર-મંડળ સહિત જોડાવા માટે સમિતિનાં કન્વીનર રમેશભાઇ વેકરિયાએ જાહેર અપીલ કરેલ છે.

(11:28 am IST)