Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સતત લોકોના પ્રશ્નને વાચા આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ: રાણાવાવના હનુમાનગઢથી મોરપર જતા રસ્તામાં બ્રિજ ડેમેજ હોય ડાયવર્ઝન વગર પુલ તોડી નાખ્યો :રજૂઆત બાદ હવે ડાયવર્ઝનનું કામ શરૂ

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ થી મોરપર જતા રસ્તામાં બ્રિજ ડેમેજ હોય અને ડાયવર્ઝન બનાઈવા વગર પુલ તોડી નાખ્યો હોય અને માણશો હેરાન પરેશાન થતા હતા ત્યારે ૪ દિવસ પેલા ઉગ્ર રજૂઆત કરતા ત્યારે સરકારી અધિકારી રાણા અને તેમના અધિકારી રાજુભાઇ ઓડેદરા ખાતરી આપી હતી કે

 ૪ દીવસની અંદર ડાયવર્ઝનનું કામ  શરૂ થઈ જશે ત્યારે આજરોજ કામ ચાલુ થઈ ગયું હોય ત્યારે સરકારી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કામ કરતા હોય ત્યારે ત્યાં જઈને નજરે નિહાળીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે રહીને કામમાં મદદ પણ કરી હતી અને સરકારી R.M.B ના અધિકારી રાણા રાજુભાઇ ઓડેદરાનો આભાર વ્યક્ત કર્યો હતો

(10:37 pm IST)