Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

લવજેહાદની ઘટનાના વિરોધમાં પાલીતાણા સજ્જડ બંધઃ રેલીમાં ભારે આક્રોશ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૬ :. ભાવનગર જિલ્લાના પાલિતાણામાં લવજેહાદની ઘટનાના પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લવજેહાદના વિરોધમાં આજે પાલિતાણા બંધ રહ્યુ હતુ. પાલિતાણામાં નિકળેલી રેલીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

શહેરમાં લવજેહાદની ઘટનાના પગલે હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ લવજેહાદની ઘટનાના વિરોધમાં આપેલ બંધના એલાનમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા હતા.

લવજેહાદના વિરોધમાં પાલિતાણા ખાતે હિન્દુ સમાજ એકઠો થયો હતો અને લવજેહાદની ઘટનાઓ રોકવા એક થવા હાંકલ કરી હતી.

લવજેહાદના વિરોેધમાં પાલિતાણા ખાતે રેલી કાઢવામાં આવી હતી જેમાં હિન્દુ સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો.

આ રેલી પાલિતાણાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. બંધ અને રેલીના પગલે શહેરમાં પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત અને સઘન પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું.

પાલિતાણામાં લવજેહાદની ઘટના મામલે પાલિતાણા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. પાલિતાણા બંધ અને રેલીના પગલે શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(11:02 am IST)