Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રણ દિવસથી ફૂકાતો પવન :માછીમારોની હાલત કફોડી

રાજકોટ :સતત ત્રણ દિવસથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયા કીનારે પવન અને વાદળછાયા વાતાવરણની પરિસ્થિતિ સર્જાઇ હોવાથી માછીમારોની હાલત કફોડી બની છે ભારે પવન છતાં પણ નાના માછીમારો જોખમ ખેડે છે.

  વાતાવરણ બગડે તે સમયે માછીમારોને દરીયો નહીં ખેડવાની ફીશરીજ દ્વારા સૂચનાઓ અપાતી હોય છે. પરંતુ નાની માછીમારી બોટો નાછૂટકે પોતાના જીવના જોખમે દરીયો ખેડીને પોતાનુ ગુજરાન ચલાવી રહયા છે અને મજબૂર થયને ગમેતેવા વાતાવરણમાં દરીયો ખેડી રહયા છે.

(8:22 pm IST)