Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

રાણાવાવના અમરદળમાં યુવાનની હત્યાના પ આરોપીઓ ઝડપાયા

પરીણિતા સાથે પ્રેમાલાપ કરતા યુવાનને જોઇ જતાં પતિ સહિત આરોપીઓએ ઢીમ ઢાળી દીધેલ

 પોરબંદર તા.૧૫: રાણાવાવના અમરદળમાં પરીણિતા સાથે પ્રેમસંબંધમાં માલદે અરશીભાઇની હત્યાં કરનાર સુરેશ નારણ, રામશી હરદાસ, નગા હરદાસ, પ્રકાશ રામસી તથા રમેશ ગોવાને પોલીસે પકડી પાડેલ છે. પાંચેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

અમરદળ ગામે રહેતા માલદે અરશીભાઇ (ઉ.વ.૩૦) નામના યુવાનની હત્યા થઇ હોવાની માહિતી મળતા જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ અમરદળ ગામે દોડી ગયો હતો જયાં મૃતકના ભાઇ કરશન અરશીભાઇ ગાજરોતરે એવું જણાવ્યું હતું કે તેનો ભાઇ માલદે ગામમાં  જ રહેતા સુરેશ નારણ ઉર્ફે નાથાની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. પ્રેમિકાને મળવા માલદે ગયો હતો જયાં તેનો પતિ સુરેશ જોઇ ગયો હતો અને તે રામશી હરદાસ નકુમ, નગા હરદાસ, પ્રકાશ રામસી નકુમ અને રમેશ ગોવા રાઠોડની મદદ લઇ માલદે પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને ઢોર માર માર્યો હતો. જેથી તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું હતું.

 આથી તેની લાશને પી.એમ. માટે ખસેડવામાં આવી હતી.  યારબાદ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી.

(3:23 pm IST)